નહીં કરું -રઈશ મનીઆર મે 21, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગઝલ.trackback
સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.
આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.
પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.
બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.
રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
* * *
આજકાલ હું શ્રી રઈશ મનીઆરની પ્રતિનિધિ ગઝલો એમનાં પુસ્તક ‘સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી’ માંથી માણી રહી છું…(આભાર, વિવેક!) એમાંની જ એક આ ગઝલ અહીં પીરસી છે. હજી સુધી જેટલી પણ ગઝલો મેં વાંચી અને માણી છે, મને તો એ બધી જ ગઝલો એક એકથી ચડિયાતી લાગી… વાંચીને મોંમાથી અનાયાસે જ ‘WOW!!’ નીકળી જાય એવી આ ગઝલો વાંચી ત્યારે મને ખરેખર સમજાયું કે આપણા મિત્ર વિવેક એમનાં આટલા બધા વખાણ કેમ કરે છે!!! 🙂
*
સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
kya baat hai !
સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
awesome….
બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.
awesome twice..
રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
માની ગયા… ખુબ સુંદર વાત કરી… આપણું heart, મન બધું જેટલું વ્યવસ્થિત રાખવાની કોશીશ કરીએ… આ પ્રભુ બેઠાં-બેઠાં વિખેરી જ નાંખે…
સલામ રઈશ સાહબ ને…
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
http://tahuko.com/?p=570
સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
-ગુજરાતી ભાષાના ચિરસ્મરણીય શેરની પંગતમાં સદાકાળ અગ્રસ્થાને બિરાજે એવો ઉત્કૃષ્ટ શેર…
(મણિયારની જગ્યાએ મનીઆર લખીશું?)
રઈશ મનીઆરના નામનો નાનકડો ખજાનો લયસ્તરો પરથી પણ મળી આવશે:
http://layastaro.com/?cat=95
સત્યને બહુ નાજુકાઈથી, સાચવીને પેશ કરવાનો કેવો નમણો પ્રયત્ન !!
હાથીની સૂંઢ ઝાડ પણ ઉખાડી શકે ને જમીન પરથી નાનો સિક્કોય ઉપાડી શકે એવી વિશેષતા ધરાવે છે. ગઝલની શબ્દ-શક્તિ માટેય એમ કહી શકાય.
સોરી દોસ્ત, એમનું નામ સુધારી લીધું છે… 🙂
ભલે સુધાર્યું પણ એ જણ ‘મની’ નહીં પણ ‘મણી’ છે. બહુ જ મજાના માણસ અને ખુલ્લા દીલના.
અહીં આવ્યા ત્યારે એમણે મારી એકે એક કવીતા વાંચીને સુધારવા તેમના સુચનો આપ્યા હતા.