jump to navigation

બુદ્ધિ અને લાગણી May 4, 2007

Posted by ઊર્મિસાગર in અછાંદસ, ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

vish_mirror_img.jpg

એક જ સિક્કાની
બે બાજુઓ હતી-
મારી બુદ્ધિ
અને 
મારી લાગણી…
બંને વચ્ચેનું
અંતર છતાંયે,
કેમ કદી
હું 
મિટાવી ન શકી?!

* * * 

ઊર્મિસાગર

*

Comments»

1. જય - May 4, 2007

બહુ જ વિચાર માંગતું આ લઘુકાવ્ય માનવ જીવનમાં ‘બુદ્ધિ’ અને ‘લાગણી’ ની સનાતન અગત્યતા તરફ નિર્દેશ કરે છે. ‘લાગણી’ વગરની બુદ્ધિ માનવ-જીવનને મૈત્રીવિહિન બનાવી શકે છે. ‘બુદ્ધિ’ અને ‘લાગણી’ ના સમન્વયથી ‘વૈશ્વિક મૈત્રીભાવ’ વધી શકે અને જીવન મીઠું મધૂરૂં બની શકે.

2. વિવેક - May 5, 2007

આ પ્રશ્ન છે કે ઉત્તર?

-સુંદર લઘુકાવ્ય… અભિનંદન !

3. nilam doshi - May 5, 2007

બુધ્ધિ અને લાગણી વચ્ચેની કશ્મકશ વચ્ચે જીવન સતત વહેતું રહે છે ને? એકલી લાગણી કે એકલી બુધ્ધિ બને નકામા.બને નો સુભગ સમંન્વય જ્ જીવનને હર્યુભર્યુ બનાવી શકે.

urmi,nice kalarav with nice picture.

4. hemantpunekar - May 5, 2007

લાગણીના અશ્વને બુદ્ધિ વડે કાબૂ કરવો જરૂરી હોય છે. આપણા અંતર વિશ્વને એક ઘર સાથે સરખાવીએ તો લાગણીઓ નાના બાળકો જેવી છે, જેમનું હોવું ઘરને જીવંત બનાવે છે. અને બુદ્ધિ ઘરના વડીલ જેવી છે, જે જરૂર પડે ત્યારે આ બાળકોને કાબૂમાં રાખવાનું મહત્વનું કામ કરે છે. મને નથી લાગતું કે આ અંતર મટાવી શકાય એવું છે. લાગણી અને બુદ્ધિ બન્નેનું પોતપોતાનું સ્થાન છે. પણ બન્ને જ્યારે આમને-સામને આવી જાય તો બુદ્ધિના પક્ષમાં રહેવું જ યોગ્ય છે એવું મને લાગે છે. કારણ કે બાળકો ગમે તેટલા વ્હાલા હોય એમના હાથમાં ઘરના મહત્વના નિર્ણય લેવાનું કામ સોપી ન શકાય!

5. hemantpunekar - May 5, 2007

સૉરી, ભાષણ ભરડવાના ચક્કરમાં મહત્વની એક વાત કહેવાની તો રહી જ ગઈ. સરસ કાવ્ય ઊર્મિ! :-)

6. chetu - May 5, 2007

ekdm saras..!..darek na man ni vaat..!!

7. પંચમ શુક્લ - May 6, 2007

બે બાજુઓ સિક્કાની- પણ સિકકો તો એક!

અગણિત વાર ઉછાળો એને
સરખી પ્રગટે
બન્ને બાજુ નેક!

8. સુરેશ - May 11, 2007

વાસ્તવીકતાની સરસ અભીવ્યક્તી.
સીક્કો પારદર્શક બને તો બન્ને બાજુ એકરુપ થઇ જાય.
અથવા અરીસામાં જુઓ તો બન્ને બાજુ એકસાથે દેખાય !
પણ અરીસો બરાબર ગોઠવેલો હોવો જોઇએ.