સગપણ ક્યાં છે? -પ્રબોધ જોશી April 4, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.trackback
અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો.
વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.
આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.
* * *


મજાનું કાવ્ય…
શા માટે આવતા ભવે? આ ભવમાં મળે તે જ સાચું …
આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો
આ ભવ નુ અધુરુ રહી ગયેલુ આવતા ભવે પુરુ થાય કદાચ્..!…
હુ અહર્નિશ શોધુ છુ એવા સરસને
જળનુ સરનામુ ક્યારે મળશે તરસને
આ ભવે નહી આવતા ભવે મળશુ
વીતતા ક્યાઁ વાર લાગે છે વરસને
અમને મળવા અમારો ટહૂકો સુણવા
રઁગોની મોજ માણવા આવી ચડજો