jump to navigation

આજ્ઞાંકિત મન March 24, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

far_away.jpg  

ઘણું સમજાવ્યું મેં
મારા રક્તને,
પણ એણે રંગ
ન જ બદલ્યો !

ઘણું સમજાવ્યું મેં
મારા અંતરને,
પણ એણે સંગ
ન જ બદલ્યો !

જરા જો સમજાવ્યું મેં
મારા મનને,
તો એ બિચારું-
તરત જ સમજી ગયું!!

* * * 

ઊર્મિસાગર

*

Comments»

1. saryu - March 26, 2007

sweet and simple.
saryu Parikh

2. radhika - March 27, 2007

hmmm… sweet & short but touchy
very good Urmi

3. વિવેક - March 27, 2007

સરસ!

4. પ્રતીક નાયક - March 28, 2007

મને માફ કરજો. કે મેં કવિ નુ નામ ન લખ્યુ મારા બ્લોગ મા. તમારા પ્રતિભવ જોઈ, હવે હું યાદ રખીશ…

5. pravinash1 - March 28, 2007

લોહી અને હૈયુ બેતો એવા અનાડી
વિનવું છતાંય ‘હા’ ના પાડી

6. જય - March 28, 2007

અંતર માંથી જે વાણી ઉદ્ભવે છે તે અંતરનાદ. ‘અંતર’ અને ‘મન’ વચ્ચે’ નો તફાવત સમજવાનો પ્રયત્ન કરૂં છુ. મન ક્દાચ જલ્દી માની જાય એટલે એની પોતાની સ્વતંત્ર વાણી નથી; આપણે મનોનાદ કહેતાં નથી. અંતરનાદ માનવી ના જીવન નું ક્દાચ સત્ય સ્વરૂપ નિર્દેશ કરે છે અને એટલે જ એ વ્યક્તિગત છે, એ વ્યક્તિ પૂરતો સીમિત છે; અને જેમ જેમ એ નાદ ફેલાતો જાય છે, તેમ તેમ એનું વર્તુળ વિસ્તરતું જાય છે અને ત્યારે મન અને અંતર એક બની જાય છે. મન, જે અંતર માંગે છે, તેવી અવસ્થા પ્રાપ્ત કરે છે. આદ્યાત્મિક દ્રષ્ટિએ આંતરિક અવસ્થા માનસિક અવસ્થા ની પર છે એટલે એને પામવી મુશ્કેલ છે, મનન કર્યા વગર એ મળી શકે નહિ, મન એને પામવાનું સાધન બની જાય છે. અંતર ને જ્યારે મન માનતું થાય ત્યારે જ સાચી રીતે એ આજ્ઞાંકિત બને છે, એમાં સત્યનો પડઘો પડે છે, અને જીવન હળવું બને છે.પણ એ અવસ્થા મેળવવી બહુ અઘરી છે.

અઝીઝ ટંકારવી નો એક શેર:

ઊડ્યા કરવાની પેરવી કરતું રહ્યું સતત,
પંખી આ મનનું કેટલું ભોળુંભટાક છે.

કોઈક મને સમજાવો આ અંતર અને મન ની ગુઢ વાતો..સમજાતી નથી.

7. Kunal Parekh - March 28, 2007

ખુબ જ સુંદર રચના…

મારા મતે જ્યારે મન આજ્ઞાંકિત બને અને હૈયું ન માને ત્યારે મન ના બદલે હૈયું જે કહે તે કરવું જોઇએ…..

તમારું શું માનવું છે???

8. પ્રતીક નાયક - March 29, 2007

ઊર્મિસાગર હવે તમે મારી ક્રુતિ “A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z” update કરી છે…

9. nilam doshi - March 30, 2007

મન સમજી જાય એનાથી ઉત્તમ બીજુ શું હોઇ શકે?સુન્દર રચના..અભિનન્દન,ઉર્મિ,