આજ્ઞાંકિત મન March 24, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.9 comments
ઘણું સમજાવ્યું મેં
મારા રક્તને,
પણ એણે રંગ
ન જ બદલ્યો !
ઘણું સમજાવ્યું મેં
મારા અંતરને,
પણ એણે સંગ
ન જ બદલ્યો !
જરા જો સમજાવ્યું મેં
મારા મનને,
તો એ બિચારું-
તરત જ સમજી ગયું!!
* * *
ઊર્મિસાગર
*
