jump to navigation

આજ્ઞાંકિત મન March 24, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
9 comments

far_away.jpg  

ઘણું સમજાવ્યું મેં
મારા રક્તને,
પણ એણે રંગ
ન જ બદલ્યો !

ઘણું સમજાવ્યું મેં
મારા અંતરને,
પણ એણે સંગ
ન જ બદલ્યો !

જરા જો સમજાવ્યું મેં
મારા મનને,
તો એ બિચારું-
તરત જ સમજી ગયું!!

* * * 

ઊર્મિસાગર

*