મુક્તપંચિકા: કન્હૈયો January 17, 2007
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.trackback

*
કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા!
*
રાધા રિસાઇ
કુંજગલીમાં,
ને કાનો મથુરામાં,
મનાવે હવે
કોણ? કોને? ક્યાં?
*
હે રણછોડ!
બતાવ મને-
આ જીવનરણેથી
ભાગી હું, કઇ
દ્વારીકે જાઉં?
* * *
ઊર્મિસાગર
*

Vaah Umri….
I really liked this one.
રાધા રિસાઇ
કુંજગલીમાં,
ને કાનો મથુરામાં,
મનાવે હવે
કોણ? કોને? ક્યાં?
બહુ સુંદર વિચારો છે. રમેશ પટેલ, (પ્રેમોર્મિ)અને તમારા ગીતોમાં રાધા- ક્રુષ્ણના પ્રેમના ધબકારા છે.
દિનેશ ઓ. શાહ, ગેઇન્સવીલ,ફ્લૉરીડા, યુ.એસ્.એ
રાધા ઢૂઁઢી રહી કે નયનોએ કિશન નિરખ્યા
અઁગ અઁગ ફૂલી ઉઠી ને ઝાઁઝર રણકી ઉઠ્યા
બાળ કાનુડાની લીલા મુક્તપંચિકામાં અને રાધા-શ્યામ પણ ……
વાહ ! ઊર્મિબહેન! તમે સૌ વાચકોને માર્ગ બતાવો છો કે અનેકવિધ વિષયો પર સૌ કોઈ માટે મુક્તપંચિકા સુલભ છે.
….. … .. .. .. .. .. .. .. .. .. હરીશ દવે અમદાવાદ
શાબાશ ઉર્મિ,
‘કરે તું નહીં
મને સુંદર
પરંતુ જો ચંદન
ધરે મારું તો
રહુ હું કુબજા’
રાધા-કૃષ્ણ, ગોપીઓ સાથે રાસ રમતાં શ્રીકૃષ્ણ, કુબ્જાપતિ, અને રાધાપતિ – આ બધાં માં જ કોઈ અનન્ય, અલૌકીક અને હ્ર્દય ના સુમધુર ભાવો ને ઝણઝણાવતો રોમાંચીત ભક્તિભાવ દ્રશ્યમાન થાય છે.કાના ની કોઈ કોઈ વાર મને ખુબ અદેખાઈ આવે છે ત્યારે …બસ હું ભુલી જાવું છું કે આ તો એની જ માયા છે અને એ માયા માં મને ખોવાડી ને નટખટ કાનો એની લીલા બતાવી રહ્યો છે..
જયભિખ્ખુની ‘પ્રેમભક્તકવિ જયદેવ’ માંથી: (પૃ: ૪૪)
‘હે ભગવાન્, પ્રેમમળ્યાં પંખીઓને હવે શી રીતે જુદાં કરું? સાથે ઊડવાંના શોખીન એ પારેવાંની પાંખો કયાં હાથે કાપું? કૃષ્ણને, કુબ્જાપતિને, રાધાપતિને ભજનારો, નિર્મળ દિવ્ય પ્રેમ ના ધારકને અન્યાય કે આપી શકે?
અરે, જેના શ્વાસોશ્વાસમાં પવિત્રતા વહે છે, એને દુન્યવી નીતિ-ન્યાયોની શી પરવા? જેનો આત્મા સ્વયં સંબુદ્ધ છે, અએ ને આત્મનિરીક્ષણ ની કેવી જરૂર? જેની નસોમાં વિકારનો વેગ, વાસનાનું ઝેર ને કામ ને ગંધ નથી, એનું કાર્ય સંસાર ને ગમે તવું લાગે, પણ તેની પ્ર્ત્યેક અવસ્થા પવિત્ર છે. જે આ જન્મ અવિકારી છે, એને સ્ત્રીપ્રેમથી દૂર ભાગવાની કે સંયમ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી સ્ત્રી પોતે – વિષય પોતે એને સ્પર્શી ને પવિત્ર બને છે. શ્રીકૃષ્ણની લીલા સમજનારે આટલી કેળવણી લેવી જ પડશે…’
જય
સુંદર રચનાઓ… કુબ્જા અને રિસામણું બંને ગમ્યા…
આ રસ કરૂણ છે ખરો પણ એટલો જ મધુર છે એની ઉત્કટ લાગણી ના લીધે…ભાવો કદી લાંબા કે ટુંક નથી હોતા. વિરમું છું.
ના રિસાઓ તમે રાધારાણી
કુંજ કુંજ ગલી પોકારશે
બંસીનો નાદ શું અવગણી
શકશો તમે રાધિકે રાણી?
ગઈ કાલે આશિત દેસાઈ ના સ્વર માં સૂર-શૃંગાર માં આ ગીત સાંભળ્યું .
કેમ કરી ગીત તમે રચશો રાધાનું, એમાં એક એક અક્ષરમાં કાનો એક એક અક્ષરમાં કાનો…
કૃષ્ણ એ જ શબ્દ છે, એ જ લય છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ…
આખું સાંભળી નહિ શક્યો, એટ્લે શરૂઆત ક્યાંથી છે ખબર નથી. આખું મળી જાય તો વાંચવાની કે સાંભળવાની મજા પડી જાય.
જય