ન્હોતી ખબર મને ! -’સાદિક’ મન્સુરી December 11, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
કાંટાથી પ્યાર થૈ જશે, ન્હોતી ખબર મને,
ફુલોનો ભાર થૈ જશે, ન્હોતી ખબર મને.
માન્યું હતું કે દિલને મળી જશે સાંત્વન,
ભક્તિનો ભાર થૈ જશે, ન્હોતી ખબર મને.
વેરાન દિલ મહીં જો, થયું એનું આગમન,
રણમાં બહાર થૈ જશે, ન્હોતી ખબર મને.
વિશ્વાસ મિત્રનો હતો મુજને તો પૂર્ણ, પણ
પાછળ પ્રહાર થૈ જશે, ન્હોતી ખબર મને.
લાંબા દિવસ પછી તો રચાયું’તું એ મિલન,
વ્હેલી સવાર થૈ જશે, ન્હોતી ખબર મને.
કિર્તી ને લક્ષ્મી અને વૈભવ તો સૌ મળ્યા,
જીવન અસાર થૈ જશે, ન્હોતી ખબર મને.
ગાઇ રહ્યો’તો ગીત ખુશીનાં, જે ગર્વથી,
દુ:ખની પુકાર થૈ જશે, ન્હોતી ખબર મને.
એ તો ખરું કે જીત ખરેખર છે સત્યમાં,
દુશ્મન હજાર થૈ જશે, ન્હોતી ખબર મને.
‘સાદિક’ તો ખુશ હતો કે પ્રસિધ્ધી મળી જશે,
અવળો પ્રહાર થૈ જશે, ન્હોતી ખબર મને.
* * *

મારા સ્કુલકાળનાં એક સંગ્રહમાં ક્યાંકથી આ ગઝલ ઉતારી હતી…
કવિ ‘સાદિક’ વિશે મને વધારે કંઇ ખબર નથી…
સુંદર ગઝલ…
સાદિક કાદરી કે મન્સુરી ?
મારી વર્ષો પહેલાંની નોટબુકમાં આ ગઝલ ઉતારતી વખતે મેં આજ નામ લખેલું હતું… મને પણ કવિના નામમાં જરા ગરબડ લાગે છે પણ મેં જેમ ઉતારેલું એમ જ અહીં લખ્યું છે… કે જેથી કદાચ આ ગઝલ વિશે કોઇને વધુ માહિતી હોય તો કવિનું સાચું નામ ખબર પડે (કે મેં નામમાં લોચા તો નથી માર્યા ને?!) !!
ભક્તિનો જો ભાર લાગે તો તેને ભક્તિ કહી શકાય ખરી???????????
ક્દાચ આદિલ મન્સુરી હોઇ શકે