મુક્તપંચિકા: મનની અટકળ November 19, 2006
Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.trackback
રે થાક્યું મન,
અટક હવે!
લે, લઇ લે ચરણ
મારા, દઉં છું
હું દાન તને!
*
બોલાઇ ગયુ
કૈંક, પણ શેં
પાછું ખેંચી શકું હું?!
લાવ, બીજો કો’
શબ્દ ઉમેરું!
*
શબ્દોનાં તીર
હૈયાને છેદી
કરતાં છિન્નભિન્ન,
મુજ હસ્તિને
દફનાવું હું!
*
ગેરસમજ
જો સમજી લે
સૌ સમજણથી,
રહે ન કોઇ
ગેરસમજ!
*
પ્રથમ ઘર,
પિતાનું હતું,
પતિનું ઘર પણ
પુત્રનું થશે,
મારું ક્યાં હશે?!
* * *

વિવિધ વિચારો સાથે સુંદર મુક્તપંચિકા.
વાહ …સરસ મજા ના શબ્દો મા દિલ ની વાત કહી છે..
very nice..!!
ગેરસમજ
જો સમજી લે
સૌ સમજણથી,
રહે ન કોઇ
ગેરસમજ!
bahu saras!
પ્રથમ ઘર,
પિતાનું હતું,
પતિનું ઘર પણ
પુત્રનું થશે,
મારું ક્યાં હશે?!
સમાજની એ રીત રહી છે કે સ્ત્રીને ઘર બદલવું પડે છે. પણ હવે જમાનો ગયો કે, સ્ત્રીનું પોતાનું ઘર્ નથી હોતું. કદાચ હવેની સ્ત્રીઓ સાસરે જાય ત્યારે ખાસ શિખામણ આપવી પદશે કે, તે ઘરને તારું જ માનજે.
જે રીતે ન્યુક્લીયર કુટુ મ્બોમાં પણ વિચ્છેદ પડતા જાય છે, તે જોતાં પુરુષના પ્રશ્નોને વાચા આપતી કવિતા હવે લખાવી જોઇએ. અને વાંક પુરુશનો જ હોય છે તે વાત હવે માત્ર ઇતિહાસ છે.
સુરેશદાદા, જમાનો હવે બદલાયો છે એ વાત બિલકુલ સાચી… હંમેશા પુરુષનો વાંક નથી હોતો એ વાત પણ સાચી… પરંતુ અહીં વાત કોઇના વાંકની નથી…. વાત છે થોડી (બધી નહીં) સ્ત્રીઓની વેદનાની… આપણા આ કહેવાતા શિક્ષિત સમાજમાં સ્ત્રીની આ વેદનાની સચ્ચાઇ ઘણી જગ્યાએ હજીયે અકબંધ છે અને મેં એને નજરો નજર નિહાળી પણ છે. (જોકે મારા માટે આ વાત બિલકુલ લાગુ નથી પડતી, એ વાતની ખુશી જરૂર છે!)
ઊર્મિ.
વાત સાચી છે.
ફક્ત કપડા અને ભાષા જ બદલાય છે.
બાકી તો,અંદરખાને તો તે નું તે જ છે.
એની વે,આ મનની અટકળો ન હોય શકે.
સાચુ કહેજો,
મનનું કામ તરવૈયાનું છે,
મરજીવાનું નહી.
Congratulations, urmi, once again for the expressions through the MUKTAPANCHIKA. …. Harish Dave Ahmedabad
અરે, કિરિટભાઇ… આ જો માત્ર મારા મનની અટકળો ન હોય તો મારાથી અહીં આવું લખાય પણ નહીં હોં! આ બધી રચનાઓ તો મારા હની પણ રેગ્યુલર વાંચે છે! અને નીલમબેન કહે તેમ બધુ જો અનુભવેલુ જ લખાતુ હોત તો તો ખૂનની વાર્તા લખવા ખૂન પણ કરવું પડે…
અને જ્યાં સુધી મન માત્ર તરવૈયો જ બની રહે અને મરજીવો નહીં બને ત્યાં સુધી કોઇ મોતી પણ હાથ નહીં લાગેને?!!!!!
કવિતા કવિની જિંદગીમાંથી જ આવે છે એ વાત સાચી… પણ કવિની જિંદગી એટલે શું? એના પોતાના શ્વાસોને જે ખભા પર લઈને એ ફરે છે એ જ માત્ર? કવિ એ આપણામાંથી જ આવતો સામાન્ય માણસ છે, એ અસામાન્ય બને છે એના વિલક્ષણ અવલોકનથી અને એ અવલોકનને આત્મસાત્ કરી શબ્દોના કલેવર પહેરાવવાની આવડતથી…
કવિ માત્ર એના એકલાના મનના દરિયામાંથી મોતી નથી લાવતો… એ તો રસ્તે મળતા દરેક દરિયામાં ઝંપલાવે છે અને એથી જ વાચકને ઘણીવાર કવિતાઓમાં પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે, જે કવિકર્મની સાર્થકતા છે…
ONE WRITES BY LIVING
ONE WRITES BY SEEING
ONE WRITES BY LISTENING
ONE WRITES BY THINKING
ONE WRITES BYFEELING THE SELF
AND ONE WRITES BY FEELING OTHERS.
YOUR WRTING I ENJOY READING.
KEEP WRITING….FOR YOU AND US TO READ IN GUJARATI.
ખૂબ જ સુંદર ઊર્મિ !
વાંચ્યા પછી લાગ્યું કે, ઊર્મિ સાગરમાં આવેલી પૂનમની ભરતીમાં હું પલળી ગયો !
અને તમારાં ‘સહિયારું સર્જન’ બ્લોગમાં મારો બ્લોગ ઉમેરવાં માટે આભાર !
you are tagged:
http://chitthacharcha.blogspot.com/2006/11/blog-post_116419698443370075.html